નવી દિલ્હીઃ આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ એક ટ્વીટ કર્યુ, ત્યારબાદ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા સમય બાદ તે ટ્વીટ ડિલીટ થઈ ગયું હતું. હકીકતમાં આ ટ્વીટમાં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં થયેલી શીખ રમખાણો બાદ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તે નિવેદનનો ઉલ્લેખ હતો કે જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી હલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તે નિવેદનને લઈને આજે પણ કોંગ્રેસ પાર્ટીની ટીકા થતી રહે છે. તેવામાં લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. અધીર રંજન ચૌધરીના ટ્વિટર એકાઉન્ટ પરથી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમની તસવીર સાથે તેમનું નિવેદન- જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી હલે છે' ટ્વીટ કરવામાં આવ્યુ હતું. આ ટ્વીટ બાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. 


PK લાવશે બિહારમાં પરિવર્તન, કહ્યું; 'વિકાસની બ્લૂ પ્રિન્ટ રાખીશું અને જનતાને દેખાડીશું'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube