ઝી મીડિયા/બ્યૂરો :ભંગાર સમજીને જે સ્કૂલના રૂમને 115 વર્ષથી ખોલવામાં ન આવ્યા, તે રૂમમાં ઇતિહાસનો એવો ખજાનો રાખવામાં આવ્યો હતો, જેણે ભારતની પરંપરાને પોતાની અંદર સાચવીને રાખી હતી. 115 વર્ષ બાદ ધૌલપુર (Dholpur) ના મહારાણા સ્કૂલના 2-3 રૂમ જ્યારે ખોલવામાં આવ્યા તો, એ રૂમમાંથી પુસ્તકોથી ભરેલો ખજાનો (Treasure) નીકળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે, હીરા કોલસાની ખાણમાંથી નીકળે છે. કમળ કાદવમાં ખીલે છે. સોનું ધરતીની નીચેથી નીકળએ છે. આ રીતે જ સ્કૂલના રૂમને ભંગાર સમજીને 115 વર્ષથી ખોલવામાં આવતા ન હતા. જે રૂમની ગણતરી સ્કૂલના કોઈ બાબતમાં થતી ન હતી, પરંતુ હવે તે રૂમના કપાટ ખૂલ્યા, તો ઈતિહાસની એવી કહાનીઓ નીકળી, જેણે સૌને ચોંકાવી દીધા હતા.  


ધૌલપુરના મહારાણા સ્કૂલના બંધ રૂમ જ્યારે ખોલવામાં આવ્યા, તો તેમાંથી પુસ્તકોનો અઢળક ખજાનો નીકળ્યો હતો. 115 વર્ષથી મહારાણા સ્કૂલના બે થી ત્રણ રૂમમાં એક લાખથી વધુ પુસ્તકો બંધ હાલતમાં પડી હતી. આ તમામ પુસ્તકો 1905થી પહેલાના વર્ષની છે. કહેવાય છે કે, મહારાજા ઉદયભાન દુર્લભ પુસ્તકોના શોખીન હતા. બ્રિટિશ કાળમાં મહારાજા ઉદયભાન સિંહ લંડન અને યુરોપની મુસાફરીએ જતા, તો ત્યાંથી પુસ્તકો લઈને આવતા હતા.


આ છે એ મહારાણી, જેને જોઈને પહેલી નજરમાં જ દિલ આપી બેસ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા


આ પુસ્તકોમાં અનેક એવા પુસ્તકો પણ છે, જેમાં શાહીને બદલે સોનાના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1905માં આ પુસ્તકોનો ભાવ 25થઈ 65 રૂપિયાની વચ્ચે હતો. જ્યારે તે સમયે સોનું 27 રૂપિયા તોલા હતુ. પરંતુ તે સમયે માર્કેટમાં પુસ્તકોની કિંમત લાખો રૂપિયાની હોવાનું કહેવાય છે. તમામ પુસ્તકો ભારત, લંડન અને યુરોપમાં પ્રિન્ટ થયેલી છે. જેમાં 3 ફીટ લાંબા પુસ્તકોમાં આખી દુનિયા અને દેશના રજવાડાના નક્શા છપાયેલા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...