નિત્યાનંદ શર્મા, મુંબઇ: મરાઠા અનામત આંદોલનને જોતા મુસ્લિમ અનામત માટે રસ્તા પર ઉતરનાર મુસ્લિમ સંગઠનોએ યૂ ટર્ન લીધો છે. યૂ ટર્ન લેતાં મુસ્લિમ સમાજના નેતાઓ અને સંગઠનોએ મુંબઇના ઇસ્લામ જિમખાનામાં બેઠક બાદ કહ્યું કે તે પ્રદર્શનના બદલે મુખ્યમંત્રીને મળીને કાનૂની રીતે અનામત આપવાની માંગ કરશે. થોડા દિવસો પહેલાં મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં અનામત માટે કરવામાં આવેલા હિંસક આંદોલન અને તેનાથી સરકાર બનતા દબાણને જોતાં મુસ્લિમ સંગઠનોએ પણ તેના આધારે અનામત માટે સરકારને ઘેરવાની યોજના બનાવી હતી, પરંતુ આ યોજના મુંબઇમાં યોજાયેલી મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ સંગઠનોની બેઠક બાદ ફૂસ્સ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, જાણો કેટલા વધ્યાં તેલનાં ભાવ ?


અનામત માટે સરકાર વિરૂદ્ધ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરવા અને મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રને બંધ કરાવવાની ધમકી આપનાર મુસ્લિમ નેતાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓના સૂર બદલેલા જોવા મળ્યા. કોંગ્રેસ નેતા નસીમ ખાને જણાવ્યું કે બેઠકમાં ભાગ લેવા લગભગ 300 મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ નેતાઓએ યૂ ટર્ન લેતાં કહ્યું કે તે હવે પ્રતિનિધિ મંડળના માધ્યમથી મુખ્યમંત્રીને મળશે અને તેમને જલદીમાં જલદી મુસ્લિમોને અનામત લાગૂ કરવાની વાત કરશે.


રસ્તા હવે રસ્તા પર નહી પરંતુ ફેક્ટ્રીમાં જ બનાવવામાં આવશે : નીતિન ગડકરી


પહેલી મીટિંગ દરમિયાન મુસ્લિમ ક્રાંતિ મોરચાનું એલાન કરીને રસ્તા પર ઉતરવાની ધમકી આપવાની વાત કરનાર સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આઝમીના તેવર પણ બદલાયેલા જોવા મળ્યા. જોકે તેમણે કહ્યું કે જો મુખ્યમંત્રીની તરફથી પ્રતિનિધિ મંડળને પોઝિટિવ રિસ્પોંસ મળ્યો તો બરોબર નહીતર આગળના આંદોલન પર બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહી, એમઆઇએમ નેતા વારિસ પઠાણે પણ સરકારને આડે લીધી અને કહ્યું કે તેમણે દર વખતે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો, પરંતુ સરકારે તેને હંમેશા નજરઅંદાજ કર્યો. 


OBC પંચને બંધારણિય દરજ્જો આપનાર બિલને સંસદની મંજૂરી


સમાજવાદી પાર્ટી નેતા અબૂ આઝમીએ કહ્યું કે અમે અમારી માંગમાં થોડો ફેરફાર કર્યો છે. એમઆઇએમ નેતા વારિસ પઠાણે કહ્યું કે બેઠકમાં જે નક્કી થયું છે અમે તેના પર અટલ રહીશું. તમને જણાવી દઇએ કે મુસ્લિમોને 5 ટકા અનામત આપવાની જાહેરાત ગત કોંગ્રેસ-એનસીપી ગઠબંધનવાળી અઘાડી સરકારે કરી રહી, પરંતુ 2014માં સરકાર બદલાયા બાદ આ મામલો શાંત પડી ગયો હતો.


ક્યારે પણ પલાળીને ન વાપરો ટુથબ્રથ, થઇ શકે છે આટલું મોટુ નુકસાન...


હવે જ્યારે મરાઠા સમાજ અનામત માટે રસ્તા પર છે અને સરકાર દબાણમાં છે તો આ વહેતી ગંગામાં મુસ્લિમ સમાજ પણ હાથ ધોવા માટે તૈયાર છે. એવામાં મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસને મરાઠા અનામતની સાથે-સાથે મુસ્લિમ અનામત પર નિર્ણય લેવો પડશે, નહીતર આંદોલન તીવ્ર થઇ શકે છે, જેનું નુકસાન આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડશે.