Bihar Agnipath Scheme Protest: ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજનાના વિરોધમાં ટ્રેનોને નુકસાન પહોંચાડવા સાથે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે રાજનેતાઓના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે. સેના ભરતી યોજનાના વિરોધના નામે થઈ રહેલા આંદોલનમાં નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં પથ્થરમારો અને આગચંપી ઉપરાંત લોકોની લૂટફાટ પણ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ
આઈસા-ઈનૌસ, રોજગાર સંઘર્ષ સંયુક્ત મોરચા, અને સેના ભરતી જવાન મોરચાએ 18 જૂનના રોજ બિહાર બંધનું આહ્વાન કર્યું છે. આ સંગઠનોએ મોદી સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનોએ સરકારને કહ્યું છે કે જો સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત અને યુવાઓની મજાક ઉડાવતી આ યોજનાને પાછી નહીં લે તો 18મીના રોજ બિહાર બંધ અને પછી ભારત બંધ તરફ આગળ વધીશું. એવા પણ સમાચાર છે કે બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ પણ બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. 


સેના ભરતી જવાન મોરચાના સંયોજક, રાજૂ યાદવ, ઈનૌસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અગિયાંવના વિધાયક મનોજ મંજિલ, આઈસા મહાસચિવ અને પાલીગંજના ધારાસભ્ય સંદીપ સૌરભ, વિધાયક અજીત કુશવાહા, અફતાબ આલામ, સબીર કુમાર અને વિકાસ યાદવે સંયુક્ત નિવેદન બહાર પાડીને આ વાત કરી છે. આ નેતાઓએ કહ્યું કે આ યોજના યુવાઓ સાથે ક્રૂર મજાક છે. આ સાથે જ તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત પણ છે. આ નેતાઓએ માંગણી કરી છે કે કૃષિ કાયદાની જેમ જ આ યોજનાને પણ સમય બગાડ્યા વગર રદ કરવામાં આે અને કોઈ પણ વિલંબ કર્યા વગર સશસ્ત્ર દળોમાં નિયમિત ભરતીની પ્રક્રિયા બહાલ કરવામાં આવે. 


અગ્નિપથ યોજના પર ભૂપેશ બઘેલનું નિવેદન
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અગ્નિપથ યોજના વિશે કહ્યું કે 4 વર્ષ બાદ જ્યારે 22-23 વર્ષના યુવાઓ પોતાના ઘરે પાછા ફરશે અને બેરોજગાર હશે તો શું કરશે? શું આટલા લોકોની પોલીસમાં ભરતી શઈ શકશે? જો ભરતી થઈ ગઈ તો ઠીક અને જેની ન થઈ તેને  બંદૂક ચલાવતા તો આવડી જ ગઈ...આ રીતે જો તમે તેમને અડધા પડધા છોડી દશો તો તેઓ ગેંગ બનાવીને અપરાધિક ઘટનાઓમાં પણ સામેલ થઈ શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube