Agriculture Budget 2022 News: નવી દિલ્હી: વર્ષ 2022-23ના બજેટમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારણએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે આ વખતનું બજેટ ખુશખબરી લઈને આવ્યું છે. બજેટ રજૂ કરતા નાણાં મંત્રીએ કહ્યું કે ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના PPP મોડમાં શરૂ કરવામાં આવશે. આવો જાણીએ નાણામંત્રીએ ખેડૂતો માટે અન્ય કઈ જાહેરાતો કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે, જેમાં તેમણે ખેડૂતોને લગતી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે રેલ્વે નાના ખેડૂતો અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સેવા બનાવશે. આ ઉપરાંત ગંગા નદીના કિનારે 5 કિલોમીટર પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં કેમિકલ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના PPP મોડમાં શરૂ કરવામાં આવશે.


સરકારે ઘણી મોટી જાહેરાતો કરી છે-
બજેટ 2022 લાઈવ અપડેટ્સ રજૂ કરતાં નાણાં મંત્રીએ કહ્યું કે કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવશે. કેન-બેતવા નદીને જોડવા માટે 1400 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ સાથે અમે ફળો અને શાકભાજીના ખેડૂતો માટે પેકેજ લાવીશું. તે જ સમયે, કૃષિ પર વાત કરતા, નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.


સરકાર તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપશે. સરકાર દ્વારા ખેડૂત ડ્રોનનો પણ પ્રચાર કરવામાં આવશે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂ. 2.37 લાખ કરોડ ચૂકવશે.