નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોના કેસને જોતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) કડક થઈ ગયું છે. ડીજીસીએ એરલાયન્સને નિર્દેશ આપ્યો છે કે યાત્રા દરમિયાન બધા યાત્રીકો યોગ્ય રીતે માસ્ક પહેરે. જો કોઈ માસ્ક નહીં પહેરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય યાત્રીકોને સેનેટાઇઝ પણ કરવામાં આવે. આ સિવાય ડીજીસીએએ એરપોર્ટ પર નિરીક્ષણ કરવાનું પણ કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક થાય યાત્રીકોનું નિરીક્ષણઃ ડીજીસીએ
એરલાયન્સને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે યાત્રી વિમાનોની અંદર માસ્ક પહેરે, એવિએશન રેગુલેટર ડીજીસીએએ આજે કોવિડ કેસની વધતી સંખ્યાને જોતા આ નિર્દેશ આપ્યો છે. તેણે કહ્યું કે, જો કોઈ યાત્રી નિર્દેશોનું પાલન ન કરે તો એરલાયન્સ દ્વારા યાત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીસીએ કહ્યું કે એરપોર્ટ અને એરલાયન્સમાં યાત્રીકોનું અચાનક નિરીક્ષણ કરવામાં આવશે. 


ભાજપમાં વધી ગયું આ 6 નેતાઓનું કદ, યોગી કરતા પણ નિકળ્યા આગળ, લેશે મોટા નિર્ણય


જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો આદેશ
જૂનમાં આદેશ જારી કરતા એવિએશન રેગુલેટરે કહ્યું હતું કે માત્ર અસાધારણ પરિસ્થિતિમાં અને કોઈ કારણથી મંજૂરી મળવા પર જ ફેસ માસ્ક હટાવી શકાય છે. આદેશ હેઠળ એરપોર્ટમાં સર્વેલાન્સ વધારવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સિવાય માસ્ક વગર પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. એરપોર્ટની અંદર મુખ્ય સ્થાનો પર સેનેટાઇઝની જોગવાઈઓ સહિત યોગ્ય સફાઇ ઉપાયોની પણ સલાહ આપવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube