નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. પરિણામો જોતા અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે તે નક્કી છે. આ પરિણામથી આમ આદમી પાર્ટીના નેતાઓ  અને કાર્યકરો તો ખુશ છે જ પરંતુ વિરોધી પાર્ટીઓ પણ ખુશખુશાલ છે. વિરોધી પાર્ટીઓ માટે આમ આદમી પાર્ટીની જીતથી વધુ ભાજપની હારની ખુશી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ પાઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવું છું. ધૃણા, દગો, અને વિધ્વંસના રાજકારણને ફગાવવા બદલ દિલ્હીવાળાઓનો આભાર પણ વ્યક્ત કરું છું. આ ચૂંટણીના પરિણઆમો બાદ ભાજપ કોઈ બાગને યાદ કરશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...