શ્રીનગર: એવું કહે છે કે ભગવાન શંકરની લીલા અપરંપાર છે. ભોલેનાથ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો દુનિયાની ગમે તે નકારાત્મક ઉર્જાનો સર્વનાશ નિશ્ચિત છે. આતંકીઓના નાપાક મનસૂબાઓને જોતા ભોલેના ભક્તોને અપીલ કરાઈ છે કે આ યાત્રા રોકીને પાછા ફરો. રસ્તામાં જ્યાં કઈ હોવ ત્યાંથી પોતાના આરાધ્યને હાથ જોડીને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરો. આ વખતે બાબા બર્ફાની સંપૂર્ણ સ્વરૂપમાં જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે લાંબા સમય બાદ ભોલેનાથ આટલા વિસ્તાર સ્વરૂપમાં જોવા મળી રહ્યાં છે. શિવભક્તોની આસ્થા છે કે બાબા બર્ફાની આમ જ કઈ સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ નથી થયાં. ભક્તો માને છે કે ભોલેનાથ જરૂર ઈચ્છશે કે કઈંક એવું થાય જેનાથી માનવ જાતિનું કલ્યાણ થાય. 


મહેબુબા બોલ્યા-કાશ્મીરમાં ડરનો માહોલ, રાજ્યપાલે કડક શબ્દોમાં કહી દીધુ -'અફવાઓ ન ફેલાવો' 


આ તસવીરને જોવું એ કોઈ પણ શિવ ભક્ત માટે સૌભાગ્યની વાત હશે. બાબા બર્ફાની પૂર્ણ સ્વરૂપમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી બાબા બર્ફાની યાત્રા પૂરી થયા પહેલા જ વિલય થઈ જતા હતાં પરંતુ આ વખતે સુરક્ષા કારણોસર શ્રદ્ધાળુઓને અધવચ્ચે જ ઘરે પાછા ફરવાની અપીલ કાઈ છે. અત્રે જણાવવાનું કે આમ તો અધિકૃત રીતે અમરનાથ યાત્રા શ્રાવણ મહિનાની પૂર્ણીમા રક્ષા બંધન એટલે કે 15મી ઓગસ્ટના રોજ પૂરી થવાની છે. 


ધર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શંકરની જ્યારે ત્રીજી આંખ ખુલે છે ત્યારે રાક્ષસી પ્રવૃત્તિના લોકોનો સર્વનાશ થાય છે. આવા સમયે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી મોટો રાક્ષસ આતંક અને આતંકીઓ છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ભગવાન શંકર કોઈ પ્રકારે તેમનો સર્વનાશ કરશે અને જમ્મુ તથા કાશ્મીરમાં ફરીથી અમન અને શાંતિ બહાલ થઈ શકશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...