નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના અમેઠીમાં શનિવારે રાત્રે એક ગોળીબારની ઘટના ઘટી હતી. જેમાં જામો પોલિસ સ્ટેશન અંતર્ગત આવતા બરોલિયા ગામના પૂર્વ સરપંચની અજાણ્યા લોકોએ આવીને હત્યા કરી દીધી હતી. સુરેન્દ્ર સિંહ તેના ઘરની બહાર ઉંઘતા હતા ત્યારે કેટલાક ગુંડા તત્વોએ આવીને તેમને ગોળી મારી અને પછી ફરાર થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલ સુરેન્દ્ર સિંહને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું ઈલાજ દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર બરોલિયા ગામના આ પૂર્વ સરપંચ અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઈરાનીની અત્યંત નજીક હતા.


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...