શ્રીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સોમવારે પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ  (CRPF) કેમ્પની મુલાકાત લીધી. અમિત શાહ ગત રાતે સીઆરપીએફના કેમ્પમાં જ રોકાયા અને જવાનો સાથે ભોજન કર્યું. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી અને કહ્યું કે અર્ધસૈનિક દળોના જવાનો સાથે સમય વીતાવવા માંગતો હતો. તેમને મળીને તેમના અનુભવ અને મુશ્કેલીઓને જાણી અને તેમના જુસ્સાને જોવા માંગતો હતો. અમિત શાહની સાથે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદ અને પથ્થરમારા પર બોલ્યા અમિત શાહ
પુલવામા પહોંચ્યા બાદ અમિત શાહે કાશ્મીરમાં આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓ પર પોતાનો મત રજુ કર્યો. તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની ઝીરો ટોલરેન્સ નીતિ છે અને નાગરિકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. આ સાથે જ તેમણે કહ્યું કે પહેલા કાશ્મીરમાં પથ્થરમારાના ઘટનાઓ સામે આવતી હતી, આજે જો કે સ્થિતિ અલગ છે. તેમણે કહ્યું કે પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. આવી ઘટનાઓ માનવતા વિરુદ્ધ છે અને આપણે તે સહન કરી શકીએ નહીં. 


ફરવાના શોખીનો આનંદો...હવે તમને હાઈવેના ઢાબા પર મળશે આ ખુબ જ મહત્વની સુવિધા


RSS એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને બંગાળ ચૂંટણી બાદ થયેલી હિંસા સાથે જોડ્યો, કહી આ વાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube