હૈદ્રાબાદ: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu) વિજયવાડામાં એક પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન ભાવુક થઇ ગયા અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. તેમણે કહ્યું કે પોતાની ઉપર કહ્યું કે પોતાની ઉપર અંગત હુમલાને લઇને ખૂબ જ આધાતમાં છે. સાથે જ તેમણે કહ્યું કે સત્તામાં પરત ન ફરે ત્યાં સુધી તે વિધાનસભા સદનમાં પગ મૂકશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગત હુમલાથી આધાતમાં પૂર્વ CM
પૂર્વ સીએમ નાયડૂ આજે સવારે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો અને તેમનો આરોપ છે કે સદનની કાર્યવાહી દરમિયાન તેમના પર અંગત હુમલા થયા. સાથે જ તેમણે કહ્યું કે સત્તાધારી પાર્ટી YSRCP ના ધારાસભ્યોએ તેમના પરિવાર અને પત્ની વિરૂદ્ધ પણ નિવેદનબાજી કરી. તેનો ઉલ્લેખ કરતાં નાયડૂ પત્રકાર પરિષદ દરમિયન ખૂબ ભાવૂક થઇ ગયા. 


ભાવૂક થયેલા નેતા વિપક્ષને સદનમાં કહ્યું કે સત્તારૂઢ વાઇએસઆર કોંગ્રેસના સભ્યો તરફથી તેમના વિરૂદ્ધ સતત ઉપયોગ કરવામાં આવતાં અપશબ્દોથી તે આધાતમાં છે. નાયડૂએ કહ્યું કે 'ગત અઢી વર્ષમાં હું અપમાન સહન કરી રહ્યો છું પરંતુ શાંત રહ્યો. આજે તેમણે મારી પત્ની પણ નિશાન બનાવી છે. હું હંમેશા સન્માન માટે અને સન્માન સાથે રહ્યો, હું તેને વધુ સહન કરી ન શકું. 

COVID-19 ના કેસ વધતાં અહીં સોમવારથી 10 દિવસનું Lockdown જાહેર, રસી નહી લેનારને ફટકારાશે દંડ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube