શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાંથી શુક્રવારે ભારતીય સેનાના એક જવાનનું આતંકીઓએ અપહરણ કર્યુ હોવાના અહેવાલથી સન્નાટો છવાઈ ગયો હતો. અપહ્રત જવાન મોહમ્મદ યાસીનની ભાળ મળી ગઈ છે. આજે સવારે ભારતીય સેનાનો આ જવાન મોહમ્મદ યાસીન સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી ગયો છે. સેનાના અધિકારી અને જમ્મુ કાશ્મીર પોલીસ મોહમ્મદ યાસીનની હાલ પૂછપરછ કરી રહી છે. અગાઉ એવા અહેવાલો હતાં તે આ આર્મી જવાનનું બડગામમાં તેના ઘરેથી અપહરણ  થયું છે. જો કે સંરક્ષણ મંત્રાલય દ્વારા જવાનનું અપહરણ થયું હોવાના અહેવાલોને ફગાવવામાં આવ્યાં છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે રજા પર ગયેલા આ જવાનના અપહરણની વાતો ખોટી છે. જવાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અગાઉ જવાન ગુમ થતા તેના અપહરણના અહેવાલો આવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગલાવાદીઓ અને આતંકીઓ વચ્ચે સાઠગાંઠ, ગૃહ મંત્રાલય હુર્રિયત સામે કરશે મોટી કાર્યવાહી


સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે બડગામના ચાડૂપોરા વિસ્તારના કાઝીપોરાથી રજા પર ગયેલા જવાનના અપહરણના મીડિયા અહેવાલ ખોટા છે.  જવાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અત્રે જણાવવાનું કે આ અંગે શુક્રવારે રાતે એવા અહેવાલો આવ્યાં હતાં કે 27 વર્ષના યાસીનને ચાર અજાણ્યા બંદૂકધારીઓ તેના ઘરેથી ઉઠાવીને લઈ ગયાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...