નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. દેશમાં જીએસટી સ્વરૂપમાં 'એક દેશ એક કર' આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. વ્યવસાયે તેઓ સફળ વકીલ અરુણ જેટલીએ રાજકીય જીવનમાં પણ ખુબ પ્રતિષ્ઠા મેળવી. 2014માં પહેલીવાર સત્તામાં આવ્યાં તો નાણા મંત્રાલયની જવાબદારી અરુણ જેટલીને મળી હતી. નાણામંત્રી હતાં ત્યારે તેમણે દેશની અર્થવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને બ્લેકમની વિરુદ્ધ અનેક મહત્વના નિર્ણયો લીધા. નોટબંધી અને GST તેમાના પ્રમુખ છે. જાણો બીજા મહત્વના નિર્ણયો અંગે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. અરુણ જેટલી નાણામંત્રી હતાં ત્યારે તેમણે GST લાગુ કર્યો. સમગ્ર દેશમાં પહેલી જુલાઈ 2017થી GST કાયદો લાગુ થયો હતો. 


2. તેમના કાર્યકાળમાં જ IBC  (Insolvency and Bankruptcy Code, 2016) કોડ લાગુ કરાયો હતો. 


જુઓ VIDEO 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...