નવી દિલ્હી: લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા અરુણ જેટલીએ આજે દિલ્હી ખાતેની એમ્સમાં છેલ્લા શ્વાસ લીધા. મને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સ તરફથી બહાર  પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન(IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 66 વર્ષ હતી. પીએમ મોદીએ પૂર્વ નાણા મંત્રીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અરુણ જેટલીના પત્ની અને પુત્ર સાથે ફોન પર વાત કરીને દુ:ખ વ્યક્ત કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું નિધન, કાલે બપોરે 2 વાગે થશે અંતિમ સંસ્કાર


પરિવારે પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી
અરુણ જેટલીના પરિવારે અપીલ કરી છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસ રદ ન કરે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...