નવી દિલ્હી: સ્થાયી નિવાસ પ્રમાણપત્ર (PRC)ના મુદ્દા પર અરૂણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને ભીષણ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે પ્રદેશના હાલાત એટલા ખરાબ થઇ ગયા હતા કે પ્રદર્શનકારીઓએ પ્રદેશના ઉપ મુખ્યમંત્રી ચોવના મેનનું ઘર સળગાવી દીધું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી હાલાતને કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલતા સતત ખરાબ થઇ રહ્યાં છે.


હાલમાં સંપૂર્ણ રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઘણા જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પેમા ખાંડૂએ સોમવારે સર્વદળીય બેઠક બોલાવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...