ઈટાનગર: ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી કમી આવી રહી છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અરુણાચલ પ્રદેશ દેશનું પહેલું કોરોનામુક્ત રાજ્ય બની ગયું છે. લોહિત જિલ્લામાં એકમાત્ર દર્દી સાજો થઈ જવાથી હવે રાજ્ય કોરોના વાયરસમુક્ત બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હવે કોઈ કોરોના કેસ નથી
અરુણાચલ પ્રદેશ રાજ્યના નિગરાણી અધિકારી લોબસાંગ જમ્પાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નો નવો કોઈ કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 296 મોત થઈ ચૂક્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.54 ટકા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12.68 લાખથી વધુ કોવિડ-19 ટેસ્ટ થયા છે. રાજ્ય રસીકરણ અધિકારી ડો. દિમોંગ પાડુંગે જણાવ્યું કે રાજ્યમાં 16,58,536 થી વધુ લોકોએ કોરોના રસી લીધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube