નવી દિલ્હીઃ Manish Sisodia Arrest: લીકર કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ દારૂ કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યો છે. તે જ સમયે, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. બંને નેતાઓના રાજીનામાએ નવી રાજકીય ચર્ચાને જન્મ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતાએ મનીષ સિસોદિયાની ધરપકડ અને પછી રાજીનામાને લઈને કેજરીવાલ પર હુમલો કર્યો છે. અલ્કા લાંબાએ ટ્વીટ કરીને કહ્યું કે, કેજરીવાલ ઘણા સમય પહેલાથી મનીષ સિસોદિયાને ઠેકાણે પાડવાની ફિરાકમાં હતા, પરંતુ આ રીતે ભ્રષ્ટાચારમાં ફસાવીને ખેલ પાડી દેશે... વિચાર્યું નહોતું. 


Video: G-20 સંમેલન માટે રાખેલા ફુલોના પોટ્સની ચોરી, લાખો રૂપિયાની કારથી આવ્યા ચોર


દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવ્યાના બે દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં રવિવારે સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન પહેલેથી જ જેલમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube