Rajasthan Politics: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા જતા રસ્તામાં ગેહલોત મીડિયાના કેમેરા સામે આવ્યા હતા. આ દરમિયાન ગેહલોતના હાથમાં એક કાગળ હતો, જેમાં પાયલોટ જૂથની 'ગુંડાગીરી', ભાજપ સાથેની મિલીભગતથી લઈને પાર્ટી છોડવા સુધીની વિગતો લખવામાં આવી હતી. ગેહલોતે હાથથી લખેલો કાગળ લીધો હતો, જેમાં માફીની સાથે પાયલટ સામેના આરોપ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપરમાં લખેલું હતું 102 vs 18 
પેપરમાં લખવામાં આવ્યું હતું કે સચિન પાયલોટ પાર્ટી છોડી દેશે, તેમાં '102 vs 18' લખ્યું હતું, એટલે કે ગેહલોતને 102 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે પાયલટ પાસે માત્ર 18 ધારાસભ્યો છે, જે તેમને સમર્થન આપી રહ્યા છે. કાગળ પર લખ્યું હતું કે, જે થયું તે ખૂબ જ દુઃખદ છે, હું પણ ખૂબ જ દુઃખી છું.


પાયલોટ જૂથ સામે આરોપોની હતી સીરિઝ
પેપરમાં પાયલોટ જૂથ વિરુદ્ધ આરોપોની એક સીરિઝ હતી. જો કે, તેમાંથી અડધા પોઈન્ટ જ કેમેરામાં જોવા મળ્યા હતા, કારણ કે બાકીના ગેહલોતના હાથથી કવર હતા. ગેહલોતે લખ્યું હતું કે, પ્રથમ પ્રદેશ અધ્યક્ષ, જેમણે પદ પર રહીને બળવો કર્યો હતો.


પુષ્કરની પણ ઘટનાનો કર્યો ઉલ્લેખ 
પેપરમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, અમારી પાસે 102 ધારાસભ્યો છે, જ્યારે પાયલોટ પાસે માત્ર 18 છે. ભાજપે ધારાસભ્યોને 10-50 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આરોપોમાં પુષ્કરની ઘટનાનો પણ ઉલ્લેખ છે. પુષ્કરમાં રાજ્ય મંત્રી અશોક ચંદના પર જૂતા ફેંકવામાં આવ્યા હતા, જ્યારે પાયલટની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર
નોંધનીય છે કે, ગુરુવારે અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું, 'છેલ્લા 50 વર્ષમાં મેં કોંગ્રેસ પાર્ટીમાં વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે. હાઈકમાન્ડે મને પૂરા વિશ્વાસ સાથે જવાબદારી સોંપી. જ્યારે, આજે તેમણે મલ્લિકાર્જુન ખડગેને પ્રસ્તાવક તરીકે નોમિનેટ કર્યા.