Bharat Jodo Nyay Yatra in Assam: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ અસમમાં છે. મંગળવારે ગુવાહાટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. એવું કહેવાય છે કે રાહુલ ગાધી શહેરમાં યાત્રાની મંજૂરી માંગી રહ્યા હતા પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ખુબ ધર્ષણ થયું. 


પોલીસ પ્રશાસનનું કહેવું છે કે શહેરમાં યાત્રાને મંજૂરી નથી જ્યારે રાહુલ ગાંધીની યાત્રા શહેરની અંદરની બાજુ આગળ વધી રહી હતી. આ કારણે પછી પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા હતા અને આ દરમિયાન કોંગ્રેસ નેતાની બસ સાથે ચાલી રહેલા લોકોની પોલસકર્મીઓ સાથે ઝડપ થઈ. કોંગ્રેસ કાર્યકરો બેરિકેડ તોડવાની કોશિશ કરી રહ્યા હતા જ્યારે રાહુલ ગાંધી દૂરથી જોઈ રહ્યા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube