Atal Bihari Vajpayee Death Anniversary: પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશ નિર્માણમાં યુવાઓની ભૂમિકાને ખુબ જ મહત્વની ગણતા હતા. તેમનો સ્પષ્ટ વિચાર હતો કે અનુશાસિત યુવાઓ જ દેશને નવી દિશા આપી શકે છે. અત્રે જણાવવાનું કે અટલ બિહારી વાજપેયીની આજે ચોથી પુણ્યતિથિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના સમાધી સ્થળ સદૈવ અટલ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube