નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જ્યારે લોકોની ભીડને પોલીસ ટીમ સમજાવવા ગઈ તો ઉલટુ તેમણે પોલીસ ટીમ ઉપર જ હુમલો કરી નાખ્યો. આ ભીડે એક સબ ઈન્સ્પેક્ટર અને 2 કોન્સ્ટેબલને લાકડી અને ડંડાથી પીટ્યા તથા ઘાયલ પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો. આ ભીડ પૂર્વ પ્રધાન નારા સિંહના ઘરની બહાર ભેગી થઈ હતી. પોલીસે ઘાયલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલોને હોસ્પિટલમાં ખસેડાયા. ત્યારબાદ ગંભીર હાલાત જોતા સબ ઈન્સ્પેક્ટર અને એક સિપાઈને મેરઠ રેફર કરાયા. આ બાજુ એસએસપી પહેલા હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસ ફોર્સ સાથે પહોંચ્યાં. પોલીસે અનેક હુમલાખોરોને અટકાયતમાં લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ ઈન્દોરના છતરીપુરા પોલીસ સ્ટેશન હદના સિલાવટપુરામાં સ્ક્રીનિંગ કરવા પહોંચેલી ડોક્ટરોની ટીમ સાથે મોહલ્લાવાસીઓએ ગાળાગાળી કરી અને પથ્થરમારો કર્યો. આ સાથે જ સફાઈ કરી રહેલા નગર નિગમના કર્મચારીઓને પણ મારીને ભગાડી દીધા. એડિશનલ એસપી રૂપેશ વ્યાસનું કહેવું છે કે જે પણ તેમા સામેલ હશે તેમની સામે કાર્યવાહી કરાશે. 


બિહારના મુંગેરમાં કાસિમ બજાર પોલીસ સ્ટેશન હદના હજરતગંજ વાડા ગલી નંબર 15માં સંદિગ્ધના પરિજનોને ક્વોરન્ટાઈમાં રાખવા માટે ગયેલી મેડિકલ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. સૂચના પર પહોંચેલી કાસિમ બજાર પોલીસની પેટ્રોલિંગ ગાડીના કાચ પણ ફોડી નાખ્યાં. જ્યારે પોલીસ કડક થઈ તો લોકો ભાગ્યાં. સમાજના બુદ્ધિજીવીઓ મૃતક બચ્ચીના છ પરિજનોને મેડિકલ ટીમ સાથે મોકલી દીધા. 


બિહારના મધુબનીના અધરાઠાઢીમાં જમાત દરમિયાન ભીડ અટકાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી. બુધવારે સાંજે પ્રશાસનને સૂચના મળી હતી કે ગિદરગંજ ગામ સ્થિત મસ્જિદમાં જમાતને લઈને ડઝનોની સંખ્યામાં ભીડ પહોંચી છે. લોકડાઉનના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે સમજાવવા પહોંચેલી પોલીસ-પ્રશાસનની ટીમો પર લોકોએ પથ્થરમારો કર્યો અને ફાયરિંગ કરી દીધુ. તથા પોલીસને જ ખદેડી નાખી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube