નવી દિલ્હીઃ રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અયોધ્યા રામ-જન્મભૂમી બાબરી મસ્જિદ જમીન વિવાદનો સર્વમાન્ય ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિએ સિલબંધ કવરમાં પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ ઘટના સાથે સંકળાયેલા સુત્રએ જણાવ્યું કે, 6 મેના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને સિલબંધ કવરમાં રિપોર્ટ સોંપી દેવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસની સુનાવણી દરમિયાન મધ્યસ્થથા સમિતિ દ્વારા વિવાદનું યોગ્ય અને સચોટ સમાધાન મેળવવા માટે 15 ઓગસ્ટ સુધીના સમયની માગણી કરવામાં આવી હતી. જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખીને મધ્યસ્થતા સમિતિને 15 ઓગસ્ટ, 2019 સુધીનો સમય લંબાવી આપ્યો છે. સાથે જ આ વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષોને તેમને જે કોઈ વાંધા હોય તે 30 જૂન સુધીમાં આ સમિતિ સમક્ષ રજૂ કરી દેવા જણાવ્યું છે.


હરિયાણામાં કેટલાક ગામના નામ એવા છે કે લોકોને બોલતા પણ શરમ આવે છે


સર્વોચ્ચ અદાલતે આ સમિતિને બંધ રૂમમાં પોતાની કાર્યવાહી કરવા અને 8 સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો હતો. બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે તેને આ વિવાદના સંભવિત સમાધાન માટે મધ્યસ્થતાના સંદર્ભમાં કોઈ 'કાયદાકીય અડચણ' દેખાતી નથી. 


અહો આશ્ચર્યમ! 14 વર્ષની છોકરીને 13 વર્ષના છોકરા સાથે થયો પ્રેમ, બની માતા અને પછી .!!! 


જોકે, નિર્મોહી અખાડા સિવાય અન્ય હિન્દુ સંગઠનો અને ઉત્તરપ્રદેશ સરકારે મધ્યસ્થતા સમિતિની રચનાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ અંગે જણાવ્યું હતું કે, મધ્યસ્થતા સમિતિની કાર્યવાહી 'અત્યંત ગુપ્ત' રીતે થવી જોઈએ, જેથી તેની સફળતા સુનિશ્ચિત થઈ શકે. મધ્યસ્થીઓ સહિત કોઈ પણ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અભિપ્રાય ગુપ્ત રાખવાના રહેશે અને કોઈ અન્ય વ્યક્તિ સામે તેનો ખુલાસો કરવાનો રહેશે નહીં. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....