500 વર્ષ પહેલા કરોડો હિન્દુઓનો જે ઈન્તેજાર અને સંઘર્ષ શરૂ થયો હતો તે સોમવારે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂરો થયો. પીએમ નરેન્દ્ર મોદીએ અભિજીત મુહૂર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્ય સંપન્ન કર્યું. પીએમ મોદીએ  ત્યારબાદ દેશને સંબોધિત કરતા એકબાજુ જ્યાં આ ઐતિહાસિક પળને મહત્વની ગણાવી ત્યાં બીજી બાજુ તેમણે રામલલાની માફી પણ માંગી. તેમણે તેમના મંદિર નિર્માણમાં લાગેલા સમયને લઈને માફી માંગી. 


માફી માંગી
પીએમ મોદીએ માફી માંગતા કહ્યું કે હું આજે ભગવાન રામની ક્ષમા યાચના કરું છું કે આપણા પુરુષાર્થ, ત્યાગ અને તપસ્યામાં કઈક તો કમી રહી ગઈ હશે કે આપણે આટલી સદીઓ સુધી આ કાર્ય કરી શક્યા નહીં. આજે એ કમી પૂરી થઈ ગઈ છે. મને વિશ્વાસ છેકે પ્રભુ રામ આજે આપણને જરૂર માફ કરી દેશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube