અયોધ્યાઃ Sri Ram Janmabhoomi Temple: સંસદના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન બાદ હવે રામ મંદિરનો વારો છે. અયોધ્યામાં મંદિર નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ ગયો છે. નિર્માણ સ્થળની લેટેસ્ટ તસવીરોથી તેની માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ વચ્ચે નિર્માણ સ્થળની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર લગભગ બનીને તૈયાર થઈ ગયો છે. આ તસવીરો શ્રીરામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શેર કરી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધી શ્રદ્ધાળુઓ માટે ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 


આ નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે-PM મોદી


સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નવા સંસદ ભવનની ભેટ આપી છે. પીએમ મોદીએ આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાનું પ્રતિબિંબ છે. આજે દુનિયા ભારતને આદર અને આશાના ભાવથી જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે અને વિશ્વ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, દેશની વિકાસ યાત્રાના કેટલાક પળ અમર હોય છે અને આજે પણ આવો દિવસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube