જયપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદ અઝહર પર પ્રતિબંધ લગાવાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ 130 કરોડ દેશવાસીઓનો વિજય છે. આ નવું ભારત છે અને નવા ભારતની આ લલકાર છે. આજે ભારતની વાતને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, "ભારતને આતંકવાદ સામે ઐતિહાસિક સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાનો દોષિત મસુદ અઝરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે. આજે દેશ માટે ગર્વનો દિવસ છે. આતંકના મુદ્દે સમગ્ર વિશ્વ ભારતની પડખે રહ્યું છે."


લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદી સામે ટક્કર લઈ રહેલી આ યુવતી કોણ છે? 


વડાપ્રધાને કહ્યું કે, "આ માત્ર મોદીની સફળતા નથી, પરંતુ સમગ્ર ભારતની સફળતા છે. આજે ભારત માટે, દરેક ભારતીય માટે અત્યંત ગર્વનો દિવસ છે. મારી હાથ જોડીને પ્રાર્થના છે કે કોઈ રાજકીય પક્ષ આવા ઉત્સાહ અને આત્મવિસ્વાસના વાતાવરણમાં મહેરબાની કરીને કોઈ મિલાવટ ન કરે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....