નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 18 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લખનઉ-અયોધ્યા હાઈવે પર રોડ સાઈડ ઊભેલી એક ડબલ ડેકર બસને ટ્રકે જોરદાર ટક્કર મારી જેમાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. મૃત્યુઆંક વધવાની ભીતિ પણ છે. 


રોડ કિનારે ઊભી હતી બસ
પોલીસના જણાવ્યા મુજબ બસ બગડતા ડ્રાઈવરે રાતે 8 વાગ્યાની આસપાસ રસ્તા કિનારે ઊભી કરી દીધી હતી અને મોડી રાતે લગભગ 12 વાગે પાછળથી આવતી ટ્રકે આ ડબલ ડેકર બસમાં જોરદાર ટક્કર મારી જેના કારણે ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત થયા. પોલીસે જણાવ્યું કે બસ હરિયાણાના પલવલથી બિહાર તરફ જઈ રહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube