લીડ્સઃ ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ આઈસીસી વર્લ્ડ કપ-2019ને દુનિયાભરમાં કરોડો લોકો જોઈ રહ્યા છે. જોકે, કેટલાક તકવાદી લોકો આ રમતમાં પણ પોતાના એજન્ડાનો ઉપયોગ કરી રહ્યા છે. શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમ પરથી એક પછી એક ત્રણ વિમાન પસાર થયા હતા, જેના પર રાજકીય સંદેશો લખેલો હતો. આ અંગે ICCએ અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ ઘટનાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચિંતાઓ વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICCએ લખ્યો પત્ર
BCCI હવે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોની સુરક્ષા માટે આશ્વાસનની માગણી કરી છે. બીસીસીઆઈએ પોતાના પત્રમાં ICCને લખ્યું છે કે, હેડિંગ્લે મેચ દરમિયાન ત્રણ વિમાન રાજકીય નારા સાથે જુદા-જુદા સમયે કેવી રીતે સ્ટેડિયમ ઉપરથી પસાર થઈ ગયા તે આશ્ચર્ય જગાડતી બાબત છે. 


BCCIના CEO રાહુલ જોહરીએ શનિવારે આઈસીસીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "BCCI તરફથી હું એ બાબતે ધ્યાન દોરવા માગું છું કે આજે થયેલી ઘટનાને અમે અત્યંત ગંભીર ગણીએ છીએ. અમે ICC અને ECBને અનુરોધ કરીએ છીએ કે, ભવિષ્યની મેચમાં આવી ગોઈ ઘટના નહીં ઘટે તેનું અમને આશ્વાસન આપવામાં આવે. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ અને તેના પ્રશંસકોને પણ પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગણી કરીએ છીએ." 


રોહિત શર્માએ વર્લ્ડ કપમાં 5મી સદી ફટકારી રચ્યો ઈતિહાસ, બની ગયો વિશ્વ રેકોર્ડ


ઘટના અંગે ICC માટે માગી લીધી છે માફી
ICCના ટૂર્નામેન્ટના પ્રમુખ ક્રિસ ટેટલી આ ઘટના અંગે પહેલાથી જ BCCI પાસે માફી માગી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ઈમેલ માટે આપનો આભાર. અમે બેનરો બાબતે માહિતગાર છીએ. આજે સવારે સ્ટેડિયમ ઉપરથી બે વિમાન ઉડ્યા હતા. 


World Cup 2019: ભારત-ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે યોજાશે સેમીફાઇનલ મેચ


આ સંદેશા લખ્યા હતા બેનર પર
ભારત-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમ ઉપરથી એક પછી એક એમ થોડા-થોડા સમયના અંતર ત્રણ વિમાન પસાર થયા હતા, જેના પર રાજકીય સંદેશા લખેલા હતા. પ્રથમ વિમાનના બેનર પર લખ્યું હતું "કાશ્મીર માટે ન્યાય." બીજા વિમાનના બેનર પર લખ્યું હતું 'ભારત, નરસંહાર બંધ કરો અને કાશ્મીરને આઝાદ કરો'. ત્યાર પછી એક ત્રીજું વિમાન પણ સ્ટેડિયમ પરથી પસાર થયું જેમાં લટકતા બેનર પર લખ્યું હતું 'ભારતમાં મોબ લિંચિંગ બંધ કરવામાં આવે.' આઈસીસીએ આ અંગે માનચેસ્ટર અને બર્મિંઘમ પોલીસને સુચિત કરી છે.  


જૂઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....