નવી દિલ્હી: ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહે સોમવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ પાર્ટીના ગુંડાઓએ ભાજપના કાર્યકરોની પીટાઈ કરી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા હરિફ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ચેતવણી આપી છે કે તેમના સાંસદો, મુખ્યમંત્રી અને વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાન બનાવતા પશ્ચિમ દિલ્હીથી ભાજપના સાંસદે ટ્વીટ કરીને કહ્યું કે 'ટીએમસીના ગુંડાઓએ ચૂંટણી જીતતા જ અમારા કાર્યકરોના જીવ લીધા, ભાજપના કાર્યકરોની ગાડીઓ તોડી, ઘરમાં આગ લગાવી રહ્યા છે, યાદ રાખજો ટીએમસી સાંસદ, મુખ્યમંત્રી, વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે, તેને ચેતવણી સમજી લેજો. ચૂંટણીમાં હારજીત થતી રહે છે, હત્યા નહીં.'


પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામની જાહેરાતના એક દિવસ બાદ પૂર્વ બર્ધમાન જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણમાં કથિત રીતે 4 લોકોના મોત થયા. અધિકૃત સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો કે ભજાપ કાર્યકરો દ્વારા માર્યા ગયેલા ત્રણ લોકો તેમના સમર્થક હતા જ્યારે ભાજપે આરોપ ફગાવ્યા. 


West Bengal: બંગાળમાં હિંસા વિરુદ્ધ ભાજપે 5 મેએ દેશવ્યાપી ધરણાની કરી જાહેરાત


Bengal: રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા મમતા બેનર્જી, 5 મેએ લેશે મુખ્યમંત્રી પદના શપથ


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube