નવી દિલ્હીઃ ભારતની સ્વદેશી કોવિડ-19 વેક્સિન 'કોવૈક્સીન' ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની એક્સપર્ટ કમિટીની સમીક્ષામાં 77.8 ટકા અસરકારક જોવા મળી છે. હૈદરાબાદની દવા નિર્માતા કંપની ભારત બાયોટેકે હાલમાં મેડ ઇન ઈન્ડિયા કોવિડ-19 વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા ડીજીસીઆઈને સોંપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં વર્તમાનમાં જે ત્રણ વેક્સિનને દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં લોકોને લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વદેશી વિકસિત કોવૈક્સીન પણ સામેલ છે. 


લોકસભા સ્પીકર પાસે પહોંચ્યો નુસરત જહાંના લગ્નનો મુદ્દો, BJP સાંસદે કરી કાર્યવાહીની


સ્ટડીમાં તે જોવામાં આવ્યું કે કોવૈક્સીનના બે ડોઝ લીધા બાદ કોવિશીલ્ડ લેનારા 98 ટકા મામલામાં જેટલી એન્ટીબોડી જોવા મળી એટલી કોવૈક્સીન લગાવનારા 80 ટકામાં જોવા મળી હતી. 


પરંતુ ભારત બાયોટેકે તેને વધુ મહત્વ ન આપતા કહ્યું હતું કે શરૂઆતી રિસર્ચમાં ખામીઓ હતી અને તેને એડહોકના આધાર પર કરવામાં આવ્યું હતું. દવા કંપનીએ તે પણ કહ્યું હતું કે સ્ટડીની સહકર્મી-સમીક્ષા કરવામાં આવી નહતી અને તેને વૈજ્ઞાનિક રૂપથી ડિઝાઇન કરવામાં આવી નહતી. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube