જયપુરઃ Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત જોડો યાત્રા દરમિયાન સવાઈ માધોપુરમાં તેમની તુલના મહાત્મા ગાંધી સાથે (Mahatma gandhi) કરવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે તેમની તુલના કોઈ અન્ય મહાન નેતાઓ સાથે ન કરવી જોઈએ. તેમણે પાર્ટી નેતાઓને આ મામલામાં ત્રણ સૂચન આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ પહેલી સલાહ આપતા કહ્યું- 'મારૂ નામ ગાંધી જી સાથે ન લો. ડોટાસરાજી (ગોવિંદ સિંહ ડોટાસરા) એ મારી તુલના મહાત્મા ગાંધી સાથે કરી છે. બાપુ નેક વ્યક્તિ હતા અને તેમણે સ્વતંત્રતા આંદોલન માટે પોતાનું જીવન કુરબાન કરી દીધુ. તેઓ 10-12 વર્ષ જેલમાં રહ્યા, તેમનું પદ કોઈપણ ન લઈ શકે અને તેમની તુલના કોઈ વ્યક્તિ સાથે ન કરવી જોઈએ. તેમની સાથે  મારૂ નામ લઈ શકાય નહીં.'


સંસદમાં ફરી ઉઠી 'એક દેશ એક ચૂંટણી'ની માંગ, સરકારે કહ્યું- ચૂંટણી એક સાથે યોજવાથી થશે


શું છે રાહુલ ગાંધીની ત્રીજી સલાહ?
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને ત્રીજી સલાહ આપતા કહ્યું કે, તેમણે જે કરવાનું હતું, તે કરી દીધુ. પરંતુ આપણે તે જણાવવું જોઈએ કે આપણે જનતા માટે શું કરવા જઈ રહ્યાં છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube