નવી દિલ્હીઃ ભાજપે લોકસભા અને વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશની આઝમગઢ સીટથી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ'ને ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે દિનેશ લાલ યાદવને આઝમગઢ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તો રામપુર લોકસભા સીટ પરથી ભાજપે ધનશ્યામ લોધીને ટિકિટ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભાની પેટાચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રદેશના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બોરદોવલીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. અગરતલાથી ડો. અશોક સિન્હાને ટિકિટ આપવામાં આવી છે. સુરમાથી સ્વપ્ન દાસ પોલ ચૂંટણી લડશે. આ સિવાય જુબરાજનગરથી માલિના દેબનાથને ટિકિટ મળી છે. 


Kanpur Violence : કાનપુર તોફાન પાછળ PFI કનેક્શનની પણ આશંકા, અત્યાર સુધી 35ની ધરપકડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube