પટના: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)ને લઇને મહાગઠબંધનએ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રમાં 10 લાખ નોકરીઓનો વાયદો કર્યો છે. આ અવસર પર આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ કહ્યું કે જો અમારી સરકાર બને છે, તો પહેલાં નિર્ણય બેરોજગારોને પાકી સરકારી નોકરી આપવાનો હશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DNA નો અર્થ ભૂલી ગયા
મહગઠબંધનના સંકલ્પ પત્રને જાહેર કરતાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala) એ નીતીશ કુમાર (Nitish Kumar) અને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ તે જ ભાજપ છે, જેને બિહારના DNA પર સવાલ ઉઠાવ્યા હતા. હવે નીતીશ કુમાર ડીએનએનો અર્થ ભૂલી ગયા છે, એ લોકો કલમના પણ બેઇમાન છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે બે ષડયંત્રકારી સાથે આવે છે, તો ષડયંત્ર થશે. 


હું ઠેઠ બિહારી છું
આજથી ઠીક 11 દિવસ બાદ એટલે 28 ઓક્ટોબરના રોજ બિહારમાં પહેલાં તબક્કાની ચૂંટણી યોજાવવાની છે. પરંતુ તે પહેલાં બિહારના સ્વાભિમાન પર સ્વાભિમાનની રાજકારણ કેટલી અસર પડશે તે જોવાનું રસપ્રદ રહેશે. તો બીજી તરફ તેજસ્વી યાદવએ પણ ડીએનએ ને લઇને સરકાર પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે હું ઠેઠ બિહારી ચુહં તથા મારું ડીએનએ શુદ્ધ છે. હું જે વાયદો કરું છું તેને પુરો કરી બતાવીશ. 


શું છે DNA વિવાદ?
2015ની બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ નીતીશ કુમાર હુમલો કરતાં કહ્યું હતું કે ડીએનએ પર સવાલ ઉભા થયા હતા. જેના પર નીતીશ કુમારે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે એક વેબસાઇટ બનાવીને પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે મોદીએ પોતાના શબ્દ પરત લેશે. પરંતુ આજે સ્થિતિ અલગ છે. બિહારમાં એનડીએનું ગઠબંધન છે અને નીતીશ કુમારના નેતૃત્વમાં ભાજપ ચૂંટણી લડી રહી છે. એટલા માટે ડીએનએનો મુદ્દો ફરી એકવાર ચગ્યો છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube