પટના: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે છેલ્લા તબક્કાનું વોટિંગ 7 નવેમ્બરના યોજાશે અને ચૂંટણી પરિણામ આવવાના માત્ર 4 દિવસ બાકી છે. આ વચ્ચે આરજેડી નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકી (Abdul Bari Siddiqui)એ પ્રધાનમંત્રીને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યમંત્રી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી તેમની ગરિમા રાખી શક્યા નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બોમ્બે હાઇ કોર્ટમાંથી અર્નબ ગોસ્વામીને ના મળી રાહત, જામીન અરજી પર ટળી સુનાવણી


સિદ્દીકીએ અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતા કહ્યું કે, આદરણીય અટલ બિહારી જીનો વ્યવહાર પણ અમે જોયો છે. તેઓ દેશ અને સમાજને સમજતા હતા. અહીંની સંસ્કૃતિને સમજતા હતા. આ કારણ છે કે, લઘુમતી આજે પણ તેમનું આદર કરે છે. પરંતુ મોદીજીને અહેસાસ થતો નથી કે, તેઓ દેશના પ્રધાનમંત્રી છે, તેમને હજી પણ લાગી રહ્યું છે કે, તેઓ ગુજરાતના રમખાણોવાળા મુખ્યમંત્રી છે.


આ પણ વાંચો:- યોગી સરકારની જાહેરાત: CAA હિંસાના આરોપીઓની જાણકારી આપનારને મળશે ઇનામ


સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા પ્રધાનમંત્રી પર.


નાઈક પરિવારને ધમકી: હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું


તમને જણાવી દઇએ કે, અબ્દુલ બારી સિદ્દીકી કેવટી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યાં છે. તે સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. આઠમી વખત ધારાસભ્ય બનવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમની સામે પડકાર મોટો છે. કેમ કે, કેવટીથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા અલીનગરથી ચૂંટણી લડતા હતા. કેવટીમાં 7 નવેમ્બરના મતદાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube