બિહારમાં એકવાર ફરીથી સત્તા પરિવર્તન થઈ ગયું છે. જો કે આ એક એવું સત્તા પરિવર્તન છે કે મુખ્યમંત્રી તો એના એજ રહ્યા એટલે કે નીતિશકુમાર પરંતુ અન્ય પાત્રો બદલાઈ ગયા છે. નીતિશકુમારે ભાજપને મોટો ઝટકો આપતા ગઠબંધન તોડી નાખ્યું અને હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવી લીધી. આજે તેમણે આઠમી વાર સીએમ પદના શપથ લીધા. આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિશકુમારે આઠમીવાર બિહારના સીએમ પદના શપથ લીધા. શપથગ્રહણ બાદ નીતિશકુમારે રાજ ભવનમાં મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ ભાજપ પ્રત્યે કડક તેવર અપનાવતા જોવા મળ્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 2024માં લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર હશે તો તેમણે જવાબમાં મોટું નિવેદન આપ્યું. પહેલા તો તેમણે કહ્યું કે અમારી એવી કોઈ દાવેદારી નથી. પરંતુ આગળ જે કહ્યું તે બધાને વિચારતા કરી નાખે તેવું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube