નવી દિલ્હી: કોંગ્રેસે મીટુ (MeToo) મામલે ચર્ચામાં રહેલા ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) ને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદથી જ ભારતીય જનતા પાર્ટીને જાણે પ્રહારો કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. હવે ભાજપના નેતા અમિત માલવીયે એક ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ સરસ રાહુલ ગાંધી
અમિત માલવીયે ટ્વીટ કરીને કહ્યું કે 'કોંગ્રેસે ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા જેમણે ત્રણ વર્ષ જૂના મીટુ કેસમાં કાર્યવાહીનો સામનો કર્યો હતો. તેમણે કથિત રીતે વર્ષ 2018માં એક મહિલા IAS અધિકારીને અયોગ્ય સંદેશ મોકલ્યા હતા. તે મામલાને દબાવી દેવાયો હતો, પરંતુ પંજાબ મહિલા આયોગ દ્વારા નોટિસ મોકલવામાં આવ્યા બાદ ફરીથી ખુલી ગયો, ખુબ સરસ, રાહુલ'.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube