મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. હવે આ સરકારે 30 નવેમ્બર પહેલાં વિધાનસભામાં વિશ્વાસનો મત સાબિત કરવો પડશે.  શરદ પવારના ભત્રીજા અને NCPના નેતા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં બની તો ગઈ BJPની સરકાર પણ લાડવો ખાવાની હજી વાર છે કારણ કે....


હાલમાં સરકાર પાસે રહેલા ધારાસભ્યોની સંખ્યાની ગણતરી કરીએ તો સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપને અજિત પવાર સાથે એનસીપીના 22 ધારાસભ્યોનું સમર્થન છે. એક ચર્ચા પ્રમાણે સરકારને શિવસેનાના કેટલાક ધારાસભ્યોનું પણ સમર્થન છે પણ આ સંખ્યા વિશે સ્થિતિ હજી સ્પષ્ટ નથી. નોંધનીય છે કે 288 સીટવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જો એનસીપીના 22 ધારાસભ્ય ભાજપ સાથે આવે તો બંનેની સંખ્યા 127 થઈ જશે. આ સિવાય કેટલાક અપક્ષોનું પણ ભાજપને સમર્થન છે અને હવે શિવસેનાના કેટલાક ધારાસભ્યના તુટવાની ચર્ચા ચાલી રહી છે. આ સંજોગોમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મળીને ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે જેના માટે 145નું સમર્થન મેળવવું પડશે. આ સંજોગોમાં અજિત પવારના સમર્થકોને જ્યાં સુધી વિશ્વાસનો મત સાબિત ન થાય ત્યાં સુધી ગોવામાં ગુપ્ત સ્થળે મોકલી દેવામાં આવશે એવી ચર્ચા છે.


મહારાષ્ટ્રમાં સરકારની આગ સળગાવશે NCP? આંખમાં કણાની જેમ ખટકતી બહેન બની કારણ?


નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી અને એનું પરિણામ 24 ઓક્ટોબરે મળ્યું હતું. રાજ્યમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન દ્વારા સરકાર રચવાનો પ્રસ્તાવ ન મુકવાને કારણે 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પદની માગણીને પગલે શિવસેનાએ ભાજપ સાથે 30 વર્ષ જુનું ગઠબંધન તોડી નાખતા રાજ્યમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું હતું.


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube