નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક પાર્ટી પ્રથમ તબક્કામાં સીટો પર વધુ ભાર આપી રહી છે. આ સિલસિલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે બપોરે ગાઝિયાબાદના મોહન નગર વિસ્તારમાં ઘરે-ઘરે જઇને પ્રચાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યક્રમમાં પણ ભાગ લીધો ભાગ
ગાઝિયાબાદના મોહન નગરમાં ક્રિષ્ના એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના અસરકારક મતદાર સંવાદ વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય પાર્ટીઓએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી હતી.


સંકલ્પ પત્રના દરેક વચનને પૂર્ણ કર્યા
સીએમ યોગીએ કહ્યું કે 2017માં રાજ્યની જનતાએ જે વિશ્વાસ સાથે ભાજપને વોટ આપ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017 પહેલા જનતાને આપેલા સંકલ્પ પત્રમાં જે પણ વચનો આપ્યા હતા, તે તમામ વચનો પૂરા કરવામાં આવ્યા હતા. સરકારે સારું કામ કર્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, 2017ની ચૂંટણીમાં સંકલ્પ પત્રના આધારે દરેક વચન પૂરા કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube