બેંગ્લુરુ: કર્ણાટકમાં વિશ્વાસ મત મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને શુક્રવારે બપોરે 1.30 કલાક સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. પરંતુ તેમની વાતને અવગણીને વિધાનસભા સ્પીકર રમેશકુમારે સદનની કાર્યવાહી 22 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી. રાજ્યપાલે વળી પાછી ફરીથી ડેડલાઈન આપી હતી અને શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. પરંતુ આમ છતાં તેની અવગણના થઈ. આ બાજુ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ અલ્ટિમેટમ આપતા કહ્યું કે સોમવાર એચડી કુમારસ્વામીની સરકાર માટે છેલ્લો દિવસ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યેદિયુરપ્પાએ કહ્યું કે "એચડી કુમારસ્વામીની સરકાર માટે સોમવાર છેલ્લો દિવસ હશે. તેમની પાસે બહુમત નથી અને તેઓ જેમની પાસે બહુમત છે તેમને સરકાર બનાવવા દેતા નથી. અમે બધા મળીને 106 સભ્યો છીએ. સુપ્રીમ કોર્ટે કહ્ુયં છે કે જે ધારાસભ્યો મુંબઈમાં છે, તેમને વિધાનસભાના સત્રમાં સામેલ થવા માટે ફોર્સ કરી શકાય નહીં."


રાજ્યપાલના પત્ર મુદ્દે સીએમ ગયા સુપ્રીમ કોર્ટ
રાજ્યપાલ વજુભાઈ વાળાના પત્ર વિરુદ્ધ સીએમ એચડી કુમારસ્વામી સુપ્રીમ કોર્ટ ગયા છે. તેમણે રાજ્યપાલ દ્વારા વિશ્વાસ મત પર વોટિંગ માટે ડેડલાઈન નક્કી કરવા બદલ આપત્તિ વ્યક્ત કરતા કોર્ટને કહ્યું કે ગવર્નર વિધાનસભાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ બાજુ સદનમાં વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ શુક્રવારે કરાવવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં ખુબ ચર્ચા થઈ. ભજાપના ધારાસભ્યોએ આ મામલાને લાંબો ખેંચવાનો સવાલ ઊભો કર્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...