નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું. ભાજપે તેને 'સંકલ્પ પત્ર'ના નામે બહાર પાડ્યો. ભાજપનો આ સંકલ્પ પત્ર 48 પાનાનો છે. સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ભાજપે ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ બહાર પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે બહાર પાડ્યું 'સંકલ્પ પત્ર', PM મોદીએ કહ્યું- '2022માં અમે 3 વર્ષના કામનો આપીશું હિસાબ'


ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ...


સરકાર દ્વારા પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે અનેક લોકહિત કાર્યો થયા છે તેવું સંકલ્પ પત્રમાં જણાવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે વર્ષ 2022માં જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થશે તો અમે તમામ ભારતવાસીઓના જીવનમાં પરિવર્તનનો સંદેશ લાવીશું. પાંચ વર્ષની ઉપલબ્ધિઓના આધારે 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ પર અમારી પાર્ટી દેશ માટે નીચેના લક્ષ્યાંકો પૂરા કરવામાં વિશ્વાસ ધરાવે છે. આ 75 મહત્વના પડાવ ભારતને મજબુતી આપશે અને દરેક ભારતીયના જીવનમાં સુખદ પરિવર્તન પણ લાવશે. આથી અમે આ 75 લક્ષ્યાંકો પ્રત્યે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ. આવો જોઈએ આ 75 સંકલ્પ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...