લખનઉઃ ઉત્તરપ્રદેશના સંત કબીરનગરથી ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થયેલી જૂતા વડે છુટાહાથની મારામારીની ઘટના બાદ પક્ષના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. મહેન્દ્રનાથ પાંડેયે જણાવ્યું કે, આ એક નિંદનીય વ્યવહાર છે અને બંને નેતાઓને લખનઉ બોલાવાયા છે. પક્ષના સુત્રોએ જણાવ્યું કે, ભાજપનું હાઈકમાન્ડ આ ઘટનાને હળવાશથી લેવાના મૂડમાં નથી. ભાજપ દ્વારા આ અંગે મોટી કાર્યવાહી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ અને તેમના સમર્થકો સાંસદ શરદ ત્રિપાઠીની ધરપકડની માગ કરતા ડીએમ ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. ઘટના એવી છે કે, ઉત્તરપ્રદેશના સંત કબીરનગરથી સાંસદ શરદ ત્રિપાઠીએ બુધવારે જિલ્લા કાર્ય આયોજન સમિતિની બેઠકમાં પોતાના જ પક્ષના ધારાસભ્ય રાકેશ સિંહ બધેલને જૂતા વડે માર માર્યો હતો. આથી ગુસ્સે થયેલા ધારાસભ્ય રાકેશ સિંહ પણ સાંસદ પર તુટી પડ્યા હતા અને બંને વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 


સ્વચ્છતા સર્વેક્ષણ 2019: ઈન્દોર સતત ત્રીજા વર્ષે દેશનું 'સૌથી સ્વચ્છ શહેર' બન્યું


સાંસદ શરદ ત્રિપાઠીએ ધારાસભ્ય રાકેશ સિંહ બધેલને એક સડકના નિર્માણ માટે મુકવામાં આવેલી શિલામાં તેમનું નામ ન લખવાનું કારણ પુછ્યું હતું. ધારાસભ્ય રાકેશ સિંહે તેનો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સાંસદને અચાનક ગુસ્સો આવી ગયો અને કહ્યું કે હું સાંસદ છું એટલે મારું નામ તો તમારે લખવું જ જોઈતું હતું. 


સ્વચ્છ સર્વેક્ષણ 2019: 10 લાખથી વધુ વસ્તીવાળા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....