Lok Sabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી ભાજપના પીએમ પદના ઉમેદવાર કોણ હશે આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માગે છે. કેટલાક લોકો કહે છે કે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોઈ શકે છે. તો કેટલાક યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પીએમ મોદી પછી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે માને છે. તો ભાજપના અન્ય મુખ્યમંત્રીઓની પણ ચર્ચા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચર્ચાઓ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પીએમ મોદી પછી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નહીં હોય. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સીએમ યોગીએ પ્રધાનમંત્રીના દાવેદાર અંગેના સવાલનો જવાબ આપ્યો. વધુમાં કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીમાં 2019 કરતા વધુ સીટો જીતશે.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


સીએમ યોગી પીએમ પદના દાવેદાર?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ કોઈપણ પદના દાવેદાર નથી. તેમને યુપીમાં જ રહેવાની ઈચ્છા છે. પીએમ મોદી દેશની સૌથી મોટી તાકાત છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને નવી ઓળખ મળી છે. કોઈપણ ચૂંટણીમાં પીએમ મોદીનું નામ સૌથી મોટુ હોય છે. 2014માં તેઓ પીએમ બન્યા ત્યારથી સમાજના દરેક વર્ગને ફાયદો થયો છે. જનતાને આપેલા વચનો પૂરા કર્યા.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


લોકસભા ચૂંટણીમાં કહી આ વાત
જણાવી દઈએ કે ઈન્ટરવ્યુમાં સીએમ યોગી આદિત્યનાથને 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2024માં ભાજપને ફરી બહુમતી મળશે. આ વખતે યુપીમાં વધુ સીટો જીતશે. ભાજપની જ સરકાર આવશે. આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 300થી 315 બેઠકો મળવાની આશા છે.


રામચરિતમાનસ વિવાદ પર શું કહ્યું યોગીએ?
તે જ સમયે, રામચરિતમાનસ પરના વિવાદ પર સીએમ યોગીએ કહ્યું કે આ વિવાદ વિકાસથી ધ્યાન હટાવવા માટે થઈ રહ્યો છે. પરંતુ તેમને સમાજમાં વૈમનસ્ય ફેલાવવામાં સફળતા નહીં મળે. સમાજ તેમની વાસ્તવિકતા સમજી ગયો છે. બીજી તરફ હિંદુત્વના પોસ્ટર બોય હોવા પર સીએમ યોગીએ કહ્યું કે હિંદુત્વ ના તો સોફ્ટ છે, ના કઠણ છે. તે માત્ર હિન્દુત્વ છે. હિંદુ ધર્મ એ ભારતમાં જીવન જીવવાની મૂળભૂત પદ્ધતિ છે.


આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube