નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના મેદાનમાં રાજકીય પક્ષો જાત-જાતની લલચામણી જાહેરાતો કરી રહ્યા છે. આ જ શ્રેણીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે એક મોટી જાહેરાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી ઓડિશામાં સત્તામાં આવશે તો લોકોને માત્ર રૂ.1ની કિંમતે ખાદ્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. પ્રધાને જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લોકોને તેનો ફાયદો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત લોકોને માત્ર રૂ.1માં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ અને મીઠું આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ યોજનાથી સમગ્ર દેશમાં લગભગ 3.26 કરોડ લોકોને ફાયદો પહોંચશે. 


આ મોદી છે, જે માત્ર માખણ જ નહીં પરંતુ પથરા પર પણ લીટી દોરે છેઃ પીએમ મોદી 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....