બેંગલુરુઃ કર્ણાટકમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબોરેટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં એક વૈજ્ઞાનિકનું મોત થયાના સમાચાર છે. બેંગલુરુમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબોરટરીમાં આ વિસ્ફોટ થયો છે. પ્રાથમિક અંદાજ મુજબ હાઈડ્રોજન ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વિસ્ફોટ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સદાશિવનગર પોલિસના જણાવ્યા અનુસાર, લેબોરેટરિમાં થયેલા આ વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે અન્ય ત્રણને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 



વિસ્ફોટનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


એવું કહેવાય છે કે આ વિસ્ફોટ બપોરે 2.20 કલાકે થયો હતો. એ સમયે લેબોરેટરીમાં ચાર વ્યક્તિ હાજર હતા. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ કયા કારણે થયો તેના અંગે હાલ કશું કહી શકાય એમ નથી. લેબોરેટરીમાં બધું જ વેરવિખેર હતું, ત્યાં ગેસ કે આગનું કોઈ નિશાન જોવા મળ્યું નથી.