Maharashtra: 100 કરોડની વસૂલીના મામલે Bombay HC નો મહત્વનો ચુકાદો, અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસના આદેશ
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે.
નવી દિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે. આ સાથે જ હાઈકોર્ટે સીબીઆઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવા જણાવ્યું છે.
લોકલ પોલીસ તપાસ કરશે તો લોકોનો ભરોસો ઉઠી જશે
આ મામલે સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને સીબીઆઈ તપાસ થવી જોઈએ. આવા કેસમાં જો લોકલ પોલીસ તપાસ કરશે તો જનતાનો વિશ્વાસ ઉઠી જશે. આ સાથે જ કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરીને તેનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા.
Covid-19: સરકાર હવે આકરા પાણીએ, કોરોનાનો એક દર્દી મળશે તો 20 ઘર સીલ, 2 કેસ મળે તો...
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube