અમૃતસરઃ પંજાબના અમૃતસરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હકીકતમાં અહીં એક બીએસએફના જવાને કેમ્પની અંદર પોતાના સાથી જવાન પર ગોળીબાર કર્યો છે, જેમાં 5 જવાનના મોત થયા અને સાતને ઈજા પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અમૃતસરના ખાસા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાને અંધાધુંધ ફાયરિંગ કર્યું. ત્યારબાદ ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા જવાનોને ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા હતા. ફાયરિંગ કરનાર બીએસએફ જવાનનું પણ મોત થયું છે.


ફાયરિંગ કરનાર જવાને ખુદને ગોળી મારી દીધી. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીએસએફના એક અધિકારીએ કહ્યુ કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube