Bullet Train Project: દેશમાં પ્રથમવાર બુલેટ ટ્રેનને લઈને ફુલ સ્પીડમાં તૈયારીઓ ચાલી રહી છે. રેલવે સમય-સમય પર તેને લઈને જરૂરી અપડેટ્સ આપી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSRC),જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂપમાં ઓળખવામાં આવે છે,  તેમાં એક પ્રારંભિક ભૂકંપ તપાસ સિસ્ટમને લગાવવા પર રેલવે વિચાર કરી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ જણાવ્યું કે 28
સિસ્મોમીટર સાથે જોડાયેલ આ અદ્યતન સિસ્ટમ ભારતમાં કોઈ પણ રેલવે પ્રોજેક્ટમાં પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવી રહી છે, જે ભૂકંપ દરમિયાન બનતી ઘટનાઓ સામે રક્ષણ પૂરું પાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યાઓ પર થશે વધુ ફોકસ
આ 22 સિસ્મોમીટરથી 6 મહારાષ્ટ્ર અને ગુજરાતના આ ક્ષેત્રોમાં લગાવવામાં આવશે, જ્યાં ભૂકંપનો ખતરો વધુ હોય છે. તેમાં ભુજ પણ સામેલ છે. આ સિવાય બાકી સિસ્મોમીટરને ટ્રેનના અન્ય રૂટ પર રાખવામાં આવશે.


NHSRCL એ જણાવ્યું કે તે માટે MAHSRC ટ્રેક પર પહેલાથી તે ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે, જ્યાં પાછલી શતાબ્દીમાં રિએક્ટર સ્કેલ પર 5.5થી વધુ તીવ્રતાવાળા ભૂકંપ આવ્યા હતા. જેની તપાસ જાપાની નિષ્ણાંતોએ કરી હતી.


આ પણ વાંચોઃ DA Hike: 50% છોડો... શૂન્ય એટલે કે 0 થઈ જશે મોંઘવારી ભથ્થું! જાણો કારણ


તમને જણાવી દઈએ કે આ ભૂકંપના પ્રારંભિક આંચકાને ઓળખવા માટે જાપાનની અદ્યતન શિંકનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એકવાર ભૂકંપની ચેતવણી મળે, આ ટેક્નોલોજી વડે બુલેટ ટ્રેનની પાવર તરત જ કાપી નાખવામાં આવે છે અને ઈમરજન્સી બ્રેક પણ લગાવવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ટ્રેનને રોકવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના અટકાવવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.


કઈ જગ્યાઓ પર લાગશે સિસ્મોમીટર?
NHSRCLએ જણાવ્યું હતું કે જમીનની યોગ્યતા અને અનુગામી સ્થળ પસંદગીનું મૂલ્યાંકન કરવા માટે વિગતવાર સૂક્ષ્મ-ધ્રુજારી પરીક્ષણ પછી, સમગ્ર કોરિડોર પર 22 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. જેમાંથી 8 મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર અને બોઈસરમાં જ્યારે 14 વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને ગુજરાતના અમદાવાદમાં સ્થાપિત કરવામાં આવશે. 28 સિસ્મોમીટરમાંથી, બાકીના 6 મહારાષ્ટ્રના ખેડ, રત્નાગીરી, લાતુર અને પાંગરી જેવા ભૂકંપ-સંવેદનશીલ વિસ્તારોમાં અને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં સ્થાપિત કરવામાં આવશે.