નવી દિલ્હી: જનરલ બિપિન રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ PM મોદી પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહ્યા.. તમામ શહીદોને પ્રધાનમંત્રી મોદીએ નમન કર્યા હતા. ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. NSA અજીત ડોભાલે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના પરિવારજનોને સાત્વના આપી હતી. આ પહેલા રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ અહીં શહીદોના પરિવારને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી. તેઓ પાલમ એરપોર્ટ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ CDSને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પણ હાજર હતા. તેમજ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દરેકની આંખો ભીની રહી હતી.


રક્ષામંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ પાલમ એરપોર્ટ પહોંચ્યા
CDS જનરલ બિપિન રાવતનું પાર્થિવ દેહ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી પણ એરપોર્ટ પહોંચ્યા હતા.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીડીએસ વિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ 8:30 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. જ્યારે NSA અજીત ડોભાલ પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે. દરેક મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે શ્રીનગરના લાલ ચોક ખાતે જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.


હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના કુન્નૂર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ સામે આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube