નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે (Central Minister Ramdas Athavale) એ મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ પર નિવેદન આપતા કહ્યુ કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. જેથી અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, મેં આ બાબતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી માંગ કરી છે કે રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવુ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામદાસ અઠાવલેએ કહ્યુ કે, હવે લાગતું નથી કે મહાવિકાસ અઘાડી સરકાર (Mahavikas Aghadi Government) રાજ્યમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે. દેશમાં કોરોનાના 60-65 ટકા કેસ મહારાષ્ટ્રથી આવી રહ્યાં છે. તેવામાં રાજ્ય સરકારની સ્થિતિ ખુબ ડામાડોળ છે. 


Maharashtra: દેશમુખનું રાજીનામુ, હવે આ નેતા સંભાળશે રાજ્યના ગૃહમંત્રીનો પદભાર  


પહેલા રાજીનામુ આપવાની જરૂર હતી
તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખના રાજીનામા પર નિવેદન આપતા કહ્યુ કે, દેશમુખે રાજીનામુ પહેલા આપી દેવાની જરૂર હતી, જે સમયે તેમના પર આરોપ લાગ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયના હસ્તક્ષેપ બાદ ગૃહમંત્રીએ રાજીનામુ આપ્યુ છે. મુખ્યમંત્રી ઠાકરે ખામોશ કેમ છે? આ સવાલ પણ ફડણવીસે કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube