નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલાની તપાસ હવે એક કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણકારી આપી છે. કમિટી બનાવવાની જાહેરાત સાથે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસથી જાસૂસીના આરોપોને નકાર્યા. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી બે પેજની એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. સોગંદનામા મુજબ સરકાર વિશેષજ્ઞોની એક કમિટી બનાવશે જે આ પેગાસસ વિવાદની તપાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આજે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં કેન્દ્ર સરકારે તેના પર લાગેલા તમામ આરોપ નકાર્યા. કેન્દ્રએ આજે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી. જે બે પાનાની હતી. કેન્દ્રએ કહ્યું કે તેમના તરફથી કોઈ જાસૂસી કે ગેરકાયદેસર નિગરાણી કરાવવામાં આવી નથી. 


મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે કેવી રીતે હારી ગયું અફઘાનિસ્તાન, અમેરિકાના 'દગા' સહિત આ છે કારણો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube