મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ રાષ્ટ્રપતિ શાસન(President Rule) લાગુ છે. ભાજપ(BJP) ના નેતાઓની આજે મુંબઈમાં એક બેઠક થઈ હતી. બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે(Chandrakant Patil) આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈ પણ સરકાર બનવાની શક્યતા નથી. ભાજપને સૌથી વધુ 1.42 કરોડ મત મળ્યા છે. સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ બીજા નંબરે એનસીપી(NCP)ને મળ્યા મછે. નંબર 2 અને નંબર વન વચ્ચે લાંબુ અંતર છે. પાટીલે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો પણ પાર કરી શક્યા નથી. ભાજપ પાસે 119 ધારાસભ્યોનું સમર્થન છે. આવામાં ભાજપ વગર મહારાષ્ટ્રમાં કોઈ સરકાર બની શકે તેમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કાશ્મીરમાં મેં 30 વર્ષ પહેલા ISIS જેવી ક્રુરતા અને ભયનું વાતાવરણ જોયું હતું'


એકબાજુ જ્યાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ(Congress) -એનસીપી અને શિવસેના(Shivsena)ના નેતાઓ માથાપચ્ચી કરી રહ્યાં છે ત્યાં બીજી બાજુ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દાડમની ખેતી કરતા ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા માટે સાંગલીની મુલાકાતે છે. ઠાકરેએ સાંગલી જિલ્લાના વિટામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ફસેલા પેંચ વચ્ચે એકાએક તમામ નેતાઓને ખેડૂતોની યાદ આવી ગઈ છે. આ કડીમાં શરદ પવાર નાગપુર(Nagpur)ના પ્રવાસે છે તો ઉદ્ધવ ઠાકરે સાંગલી જઈને ખેડૂતો(Farmers)ને લુભાવી રહ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube